ગુજરાતમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે , જાણો હવામાન વિભાગની આજની આગાહી
જરાત ઉપર હાલમાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે જેના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે ગુજરાતમાં સાત દિવસ સુધી હવામાન કેવું રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં તેમણે ગુજરાતના ચોમાસા વિશે જણાવ્યું છે કે, ગુજરાતમાં 15 જૂન પહેલા પણ ચોમાસું બેસી શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વેધર સાયન્ટિસ્ટ રામાશ્રય યાદવે ગુજરાતના સાત દિવસના હવામાનની આગાહી કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. આજથી આગામી સાત દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ બે દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રનું હવામાન શુષ્ક રહેશે અને કોઈપણ ભાગોમાં વરસાદની સંભાવના નથી. (પ્રતિકાત્મક તસવીર)
રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં પણ ત્રીજા દિવસથી વરસાદ શરૂ થશે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમઠ અને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે.
આ સાથે તેમણે કહ્યું કે ચોથા દિવસે સૌરાષ્ટ્રના ગાંધીનગર, અરવલી, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, અમદાવાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમઠમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ, છઠ્ઠા અને સાતમા દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમઠ, દ્વારકા, દીવમાં પાંચમા અને છઠ્ઠા દિવસે વરસાદ પડવાની સંભાવના છે. સાતમા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
ગુજરાતમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. ચોમાસું ઘણું સારું રહેશે. ચોમાસું 25 ઓક્ટોબર સુધી સક્રિય રહેશે. આ દાયકાનું સૌથી લાંબુ ચોમાસું હોવાની શક્યતા છે.