લવ મેરેજ કરીને વર-કન્યા સુરત જઈ રહ્યા હતા, ઝઘડો થયો અને વરરાજાએ ટ્રેનમાં જ બાથરૂમમાં જઈને આત્મહત્યા કરી દીધી
બિહારના અરાહનો એક છોકરો અને છોકરી પ્રેમ લગ્ન કરીને ટ્રેનમાં ગુજરાત જઈ રહ્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના જબલપુર જિલ્લા નજીકથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે વરરાજાએ ટ્રેનના બાથરૂમમાં જ મોટો કૌંભાડ સર્જ્યો હતો. આ સમાચાર સાંભળીને ટ્રેનમાં બધાને આશ્ચર્ય થયું કે ટ્રેનની અંદર આ પ્રકારનું કામ કોઈ કેમ કરી શકે છે.
આવો છે સમગ્ર મામલો
બિહારના અરાહમાં એક દિવસ અગાઉ પ્રેમ લગ્ન કર્યા બાદ વર-કન્યા ટ્રેનમાં સુરત જઈ રહ્યા હતા. પછી રસ્તામાં બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ વરરાજા ટ્રેનના બાથરૂમમાં ગયો અને ટુવાલ વડે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. લાંબા સમય સુધી બાથરૂમનો દરવાજો ન ખૂલતાં મુસાફરોએ દરવાજો ખોલ્યો તો ટ્રેનના બાથરૂમમાં મૃતદેહ જોઈ ચોંકી ઉઠ્યા હતા.
એક દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા
તમને જણાવી દઈએ કે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડે એક દિવસ પહેલા જ મંદિરમાં લગ્ન કર્યા હતા. તેણે આ લગ્ન તેના પરિવારની મરજી વિરુદ્ધ કર્યા હતા. લગ્ન કર્યા બાદ બંને સમસ્તીપુર લોકમાન્ય ટર્મિનસ ટ્રેન દ્વારા ગુજરાતના સુરત જઈ રહ્યા હતા. ત્યારબાદ રસ્તામાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી, વરરાજા તેની સીટ પરથી ઉભો થયો અને ટ્રેનના બાથરૂમમાં ગયો અને ત્યાં આત્મહત્યા કરી.
દુલ્હનએ જણાવ્યું કે ટ્રેનમાં ઝઘડો ચાલી રહ્યો હતો
આ અંગે મૃતક સંજય યાદવની પત્નીએ જણાવ્યું કે ટ્રેનમાં બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ પછી તે બાથરૂમ ગયો અને લાંબા સમય સુધી પાછો આવ્યો નહીં. આ પછી જ્યારે મેં ત્યાં જઈને જોયું તો દરવાજો અંદરથી બંધ હતો, મેં દરવાજો તોડ્યો તો તે લટકતો જોવા મળ્યો. આ બાબતની જાણ રેલવે પોલીસને કરવામાં આવી હતી. જે બાદ સ્થળ પર મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.