Airtel, Jio અને Vi ને સરકારની ચોખ્ખી ચેતવણી, ગ્રાહકોને આવા કોલ કર્યા તો ઝાટકી નાખશું
ઘણી વખત જ્યારે તમે અજાણ્યા નંબર પરથી આવતા કૉલ્સ ઉપાડો છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે તે પ્રમોશનલ કૉલ છે. જ્યારે તમે કોઈ અગત્યનું કામ કરતા હોવ અથવા વાહન ચલાવતા હોવ ત્યારે હેરાનગતિ થાય છે. હવે સરકાર દ્વારા ગ્રાહકોને પ્રમોશનલ કોલથી મુક્ત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ટેલિકોમ ઓપરેટરોને આ મહિના સુધીમાં પ્રમોશનલ કૉલ્સને રોકવા માટે કહેવામાં આવ્યું છે અને જો આમ કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, ભારે દંડ લાદવામાં આવશે.
આ મામલા સાથે સંકળાયેલા બે લોકોએ કહ્યું છે કે અનરજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી પ્રમોશનલ કોલ કરવાના કિસ્સામાં તેમને દંડ કરવામાં આવશે અને તેમના વતી કરવામાં આવતા કોલને અયોગ્ય વેપાર પ્રથાનો એક ભાગ ગણવામાં આવશે. આ પ્રથમ વખત છે જ્યારે ટેલિકોમ ઓપરેટર્સ પર ગ્રાહકોની ગોપનીયતા અને અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. એવી આશા છે કે આવી સ્થિતિમાં પ્રમોશનલ કોલને નિયંત્રિત કરી શકાય છે.
હાલમાં વ્યક્તિઓની માલિકીના અનરજિસ્ટર્ડ 10 અંકના નંબરો પરથી મોબાઇલ સબસ્ક્રાઇબર્સને સંખ્યાબંધ પ્રમોશનલ કૉલ્સ કરવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા વ્યાપારી સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે. જો કે, આ નંબરો વ્યવસાયિક ઉપયોગ માટે નોંધાયેલા નથી અને તેનો ઉપયોગ પ્રમોશનલ કૉલ્સ માટે થવો જોઈએ નહીં. હવે આવું કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ટેલિકોમ કંપનીઓ પર ભારે દંડ લાદવાનો નિર્ણય ગયા અઠવાડિયે સ્ટેકહોલ્ડર્સ સાથે યોજાયેલી બેઠક બાદ લેવામાં આવ્યો હતો. આ મીટિંગમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), ભારત સંચાર નિગમ લિમિટેડ, એરટેલ, વોડાફોન અને રિલાયન્સ જિયો સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો.
બધાએ સાથે મળીને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) ના નિયમોનું પાલન કરવાનું નક્કી કર્યું છે, જે ગ્રાહક બાબતોના વિભાગ (DoCA) ને સીધું સમર્થન આપે છે.
ડ્રાફ્ટ માર્ગદર્શિકા જણાવે છે કે જે કંપનીઓ અનરજિસ્ટર્ડ કૉલ્સથી નફો મેળવે છે તેને જવાબદાર ગણવામાં આવશે. ડ્રાફ્ટમાં, કોલ કરનારાઓને કમિશન એજન્ટ તરીકે ગણવામાં આવ્યા છે, જેઓ વિવિધ બેંકો, વીમા કંપનીઓ અને રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે સંકળાયેલા હોઈ શકે છે.
ટેલિકોમ ઓપરેટર્સને આવા કોલની ઓળખ બતાવવા માટે કહેવામાં આવ્યું છે જેથી ગ્રાહકો નિર્ણય લઈ શકે કે કોલ રિસીવ કરવો કે નહીં.