શું તમે જાણો છો ACમાં ક્યાં પ્રકારની ગેરંટી આવે છે, છતાં કંપની રિપેરિંગના પૈસા લે, તો અહીં કરો ફરિયાદ
ઉનાળાની ઋતુમાં માત્ર એર કંડિશનર લોકોને રાહત આપે છે, જે લોકો પાસે એર કંડિશનર નથી તેઓ નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છે. જેમની પાસે પહેલાથી જ AC છે તેઓએ તેમના AC સર્વિસ અને ગેસ રિફિલ કરાવવાનું શરૂ કરી દીધું છે. જો તમે પણ AC યુઝર છો, તો અમે તમને અહીં કેટલીક ઉપયોગી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.
મફત ગેસ ભરવાની ખાતરી પણ આપે છે
નવું એર કંડિશનર ખરીદવા પર કંપની દ્વારા ગેરંટી અને વોરંટી આપવામાં આવે છે. જેમાં અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ ગેરંટી હોય છે. આ ઉપરાંત, કેટલીક કંપનીઓ મર્યાદિત સમય માટે ગેસ લીકેજના કિસ્સામાં મફત ગેસ ભરવાની ખાતરી આપે છે. જો તમારું AC આ પ્રકારની ગેરંટી હેઠળ છે અને તેમ છતાં કંપની તમારી પાસેથી પૈસા વસૂલ કરી રહી છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
ફરિયાદ ક્યાં કરી શકાય અને શું ફાયદો થશે?
જો AC કંપની ગેરંટી અને વોરંટી હોવા છતાં AC રિપેર કરવા માટે પૈસા વસૂલતી હોય તો તમે તેની ફરિયાદ કરી શકો છો. જેમાં તમારે એસી કંપની વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરવાની રહેશે. જ્યાં સુનાવણી બાદ જો નિર્ણય તમારી તરફેણમાં આવશે તો કંપનીને ચોક્કસપણે દંડ ફટકારવામાં આવશે.
કયા આધારે ફરિયાદ થશે?
જો તમે નવું એર કંડિશનર ખરીદી રહ્યા છો, તો તમારે લેખિતમાં ACની વોરંટી અને વોરંટી વિગતો મેળવવાની જરૂર છે. જેના આધારે તમે એસી કંપની અને સર્વિસ પ્રોવાઈડર વિરુદ્ધ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકો છો. જો તમારી પાસે માન્ય દસ્તાવેજો નથી તો ગ્રાહક અદાલતમાં નિર્ણય તમારી તરફેણમાં આવશે નહીં.
એસી કંપની પર દંડ વસૂલવામાં આવ્યો છે
એક કેસની સુનાવણી કરતી વખતે, ભોપાલની ગ્રાહક અદાલતે એસી કંપનીને રૂ. 31,212, એસી રિપેર કરવા બદલ સર્વિસ પ્રોવાઇડરને રૂ. 5,500 અને માનસિક વેદના માટે રૂ. 8,000નો દંડ ફટકાર્યો હતો. ભોપાલના એક વ્યક્તિએ 2020માં AC ખરીદ્યું, જેની કિંમત 31,212 રૂપિયા છે.
આ AC 10-વર્ષની કોમ્પ્રેસર વોરંટી, 5-વર્ષની PCB વૉરંટી અને 5-વર્ષની કન્ડેન્સર વૉરંટી સાથે મફત ગેસ ભરવાની સાથે આવે છે. પરંતુ જ્યારે એસી તૂટ્યું ત્યારે કંપનીના સર્વિસ પ્રોવાઈડરે એસી રિપેર કરવા માટે યુઝર્સ પાસેથી રૂ. 5500 વસૂલ્યા હતા અને એસી ફરી તૂટતાં વધુ પૈસાની માગણી કરી હતી. જે બાદ એસી યુઝરે ગ્રાહક કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેમાં ગ્રાહક અદાલતે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો